crime
પોરબંદરમાં 12 ઓગસ્ટે પાણી વિતરણ બંધ રહેશે:વનાણા ટોલનાકા પાસે મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણનું સમારકામ પ્રગતિમાં
પોરબંદર શહેરમાં આવતીકાલે 12 ઓગષ્ટે એક દિવસ માટે પાણી વિતરણ બંધ રહેશે. વનાણા ટોલનાકા પાસે ખંભાળા-ખોદાળા ડેમમાંથી આવતી મુખ્ય પાણીની પાઈપલાઈનમાં એર વાલ્વ તૂટી જતાં ભંગાણ સર્જાયું છે, જેના સમારકામ માટે આ નિર્ણય લેવાયો છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતી આ મુખ્ય પાઈપલાઈનમાં થયેલા ભંગાણને કારણે મોટા પાયે રીપેરીંગ કામગીરી હાથ ધરવી અનિવાર્ય બની છે. આ કામગીરીને કારણે પાણી પુરવઠાને અસર થશે. પોરબંદર મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખા દ્વારા શહેરના નાગરિકોને આ અંગે જાણ કરવામાં આવી છે. લોકોને જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવા અને સમારકામની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar