top
વલસાડમાં ગણેશ વિસર્જનની તૈયારીઓનું નિરીક્ષણ કરાયું:ઔરંગા જેટી પર ભરતભાઈ પટેલે વ્યવસ્થા તપાસી, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે સૂચનાઓ આપી
વલસાડમાં ગણેશોત્સવના સમાપન પહેલા ગણેશ વિસર્જનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વલસાડ વિધાનસભા વિસ્તારની ઔરંગા નદી કિનારે આવેલી જેટી ખાતે ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટેની કામગીરીનું ભરતભાઈ પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન, ભરતભાઈ પટેલે વિસર્જન વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને સમગ્ર વ્યવસ્થા સરળતાથી ચાલે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સુરક્ષા અને વ્યવસ્થાને લગતી કામગીરીની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેથી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય.
Read full article on Divya Bhaskar