business
Sugar Price: સરકાર પાસે ખાંડનો જથ્થો નથી? ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનનો મોટો દાવો
ગુજરાતમાં ફેરપ્રાઈઝ શોપ પર ખાંડના જથ્થાને લઈને મોટો દાવો સામે આવ્યો છે. ફેર પ્રાઈસ શોપ લાઈસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ દાવો કર્યો છે કે અંત્યોદય અને BPL કાર્ડધારકોને ખાંડ નહીં મળે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર પાસે ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. ખાસ કરીને તહેવારોના સમયમાં જ ખાંડનો જથ્થો ઉપલબ્ધ ન કરાવવામાં આવતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. જેના કારણે રેશનકાર્ડ ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તહેવારો દરમિયાન ખાંડની માંગ વધતી હોય છે ત્યારે જ જથ્થો ઉપલબ્ધ ન કરાવાતા ફેર પ્રાઈસ શોપ સંચાલકો અને કાર્ડધારકોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે સરકાર દ્વારા આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે અને ખાંડનો જથ્થો ક્યારે ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેના પર સૌની નજર છે.