Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

SC ST Creamy Layer: કેન્દ્ર સરકાર શા માટે કહે છે કે 'ક્રીમી લેયર' SC ST ક્વોટા પર લાગુ થઈ શકતું નથી? | Law Explained

📰 The Indian Express 🕐 1 min read 📅 August 12, 2026 👁 5 views
SC ST Creamy Layer: કેન્દ્ર સરકાર શા માટે કહે છે કે 'ક્રીમી લેયર' SC ST ક્વોટા પર લાગુ થઈ શકતું નથી? | Law Explained
સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલા સોગંદનામામાં, કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત માટે "ક્રીમી લેયર" લાગુ કરવાની માંગનો વિરોધ કર્યો છે. સરકારે એવો તર્ક આપ્યો કે, આ સમુદાયોએ ભોગવેલી ઐતિહાસિક યાતનાઓ, તકલીફોને માત્ર આર્થિક પછાતપણા સમાન માની ન શકાય અને અનામત નીતિઓમાં બદલાવ કરવાનો અધિકાર સંસદ પાસે છે નહીં કે કોર્ટ પાસે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો તર્ક રજૂ કર્યો હતો. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે SC અને ST શ્રેણીઓમાં સમૃદ્ધ પરિવારો અનામત લાભોનો એકાધિકાર કરી રહ્યા છે, જેના કારણે "ભદ્ર વર્ગ" હાવી થઈ રહ્યો છે અને આ સમુદાયોના સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સભ્યોને શિક્ષણ અને જાહેર રોજગારની પહોંચથી વંચિત રાખે છે. અરજીમાં અન્ય પછાત વર્ગો (OBC) અને આર્થિક રીતે નબળા વર્ગો સહિત તમામ અનામત શ્રેણીઓમાં આવક-આધારિત પસંદગીઓનો અમલ કરવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી ઓગસ્ટ 2024 ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધારિત હતી જેમાં SC અને ST ના પેટા-વર્ગીકરણને મંજૂરી આપવામાં આવી હતી. તે કિસ્સામાં, બંધારણીય બેંચના સાતમાંથી ચાર ન્યાયાધીશોએ આ જૂથો સુધી ક્રીમી લેયર સિદ્ધાંતનો વિસ્તાર કરવાનું સૂચન કર્યું હતું. આ અવલોકનોને ટાંકીને, અરજીમાં સામાજિક અને આર્થિક રીતે વિકસિત વ્યક્તિઓને અનામત લાભોમાંથી બાકાત રાખવાની માંગ કરવામાં આવી હતી. ઉપાધ્યાય એવી દલીલ કરી કે, જેમણે પહેલાથી જ સામાજિક ગતિશીલતા પ્રાપ્ત કરી છે તેમને અનામત આપવાથી હકારાત્મક કાર્યવાહીનો ઉદ્દેશ્ય નિષ્ફળ જાય છે. SC ST ક્વોટામાં Creamy layer મામલો સુપ્રીમ કોર્ટમાં જાણો વિગતો પ્રતિકાત્મક ઇન્ફોગ્રાફિક્સ Photograph: (AI Info) ઐતિહાસિક અસમાનતા વિરુદ્ધ આર્થિક સ્થિતિ અરજી સામે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં, SC અને ST ને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડો અને OBC માટે ઉપયોગમાં લેવાતા માપદંડો વચ્ચેનો તફાવત રજૂ કર્યો. સરકારે જણાવ્યું કે, અનુસૂચિત જાતીઓ અસ્પૃશ્યતાની પ્રથાથી ઉપજેલા ઐતિહાસિક ભેદભાવનો સામનો કરે છે. એ જ રીતે અનુસૂચિત જનજાતીઓ પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ, ભૌગૌલિક અલગતા અને પછાતપણાને કરણે ઓળખાય છે. તેનાથી વિપરીત અન્ય પછાત વર્ગ (OBC) મુખ્ય રીતે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ભેદભાવથી ઓળખાય છે. સરકારે આ વાત પર ભાર મૂક્યો કે SC અને ST અનામતનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમાનતા અને ન્યાય પ્રાપ્ત કરવાનો, ઐતિહાસિક ભેદભાવને દૂર કરવાનો અને જાહેર જીવનમાં સમાવિષ્ટ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. સમાનતાના આ વ્યાપક ખ્યાલને ધ્યાનમાં રાખીને, સોગંદનામામાં જણાવાયું છે કે આ સમુદાયો સામે ભેદભાવ આર્થિક પરિસ્થિતિઓના આધારે થતો નથી. ક્રીમી લેયર OBC પુરતુ જ મર્યાદિત કેન્દ્ર સરકારે એ સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓનો આધાર પણ રજૂ કર્યો. જેમાં 1992 ના ઈન્દ્રા સાહની ચુકાદાનો ઉલ્લેખ કરાયો, જેમાં મંડલ કમિશન રિપોર્ટના અમલીકરણને સમર્થન આપવામાં આવ્યું હતું. જ્યારે તે ચુકાદામાં ક્રીમી લેયર ટેસ્ટ સામાજિક રીતે વિકસિત વ્યક્તિઓને પછાત વર્ગોમાંથી બાકાત રાખવા માટે આવક મર્યાદા રજૂ કરવામાં આવી હતી, તેને માત્ર OBC સુધી મર્યાદિત રાખ્યું હતું અને કહ્યું કે "અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના કિસ્સામાં તેનું કોઈ મહત્વ અને સુસંગતતા નથી." સરકારે 2008ના અશોક કુમાર ઠાકુર કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ક્રીમી લેયર સિદ્ધાંત SC અને ST ને લાગુ પડતો નથી. ત્યારબાદ તેણે 2005ના EV ચિન્નૈયાના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, જેમાં કોર્ટે કહ્યું હતું કે જો ક્યારેય એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં SC માંથી ક્રીમી લેયરને બાકાત રાખવાની જરૂર પડે, તો પણ "જરૂરી કાયદાકીય પગલાં ફક્ત સંસદ જ લેશે." સુધારા વધારા માટે સંસદ પાસે સત્તા સરકારના બચાવમાં સત્તાઓના બંધારણીય વિભાજનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના સોગંદનામામાં જણાવાયું હતું કે બંધારણના અનુચ્છેદ 341 અને 342 હેઠળ, રાષ્ટ્રપતિ SC અને ST ની પ્રારંભિક યાદીઓને સૂચિત કરે છે. એકવાર સૂચિત થયા પછી, આ યાદીઓમાંથી કોઈપણ સમાવેશ અથવા બાકાત ફક્ત સંસદના કાયદા દ્વારા જ થઈ શકે છે. સરકારે જણાવ્યું હતું કે "રાજ્ય સરકારો, અદાલતો, ટ્રિબ્યુનલ અથવા અન્ય કોઈપણ સત્તા માટે આ યાદીઓમાં ફેરફાર, સુધારો અથવા ફેરફાર કરવાનો અધિકાર નથી". કેન્દ્રએ દલીલ કરી હતી કે અરજીમાં આદેશની માંગ કરવામાં આવી છે, એક ન્યાયિક આદેશ જે સરકારને ચોક્કસ રીતે ચોક્કસ ફરજ બજાવવા માટે ફરજ પાડે છે. જોકે, સરકારનું કહેવું છે કે અનામત-સંબંધિત નીતિઓ ઘડવા અથવા આવક-આધારિત અગ્રતાનો અમલ કરવા માટે વ્યાપક સમીક્ષા, પ્રાયોગિક માહિતી અને કાયદાકીય અધિકૃતતાની આવશ્યકતા છે. સુપ્રીમ કોર્ટના ભૂતકાળના ચુકાદાઓનો હવાલો આપીને સોગંદનામામાં એવી દલીલ કરવામાં આવી હતી કે, વધુ સારા, વધુ ન્યાયી અથવા વધુ સમજદારીભર્યા વિકલ્પની ઉપલબ્ધતાના આધારે કોઈ ચોક્કસ નીતિનો અમલ કરવાનો નિર્દેશ અદાલતો કારોબારીને આપી શકતી નથી. તેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે જાહેર નીતિ નક્કી કરવાના મામલે ન્યાયતંત્ર ધારાસભાની ભૂમિકા હસ્તગત કરી શકતું નથી. આ પણ વાંચો । સંતાન ગુમાવ્યાના 11 વર્ષ બાદ દંપતીને સરોગસી માટે મંજૂરી, તેલંગાણા હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજી વિચારણાને પાત્ર નથી, કારણ કે તેમાં મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનનો કોઈ પુરાવો નથી. આ અરજીને "ગેરમાર્ગે દોરનારી" અને તથ્યહીન ગણાવીને, સરકારે સુપ્રીમ કોર્ટને તેને ફગાવી દેવાની વિનંતી કરી છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan