politics
પ્રથમ શ્રાવણી સોમવાર અને નાગપાંચમનો પવિત્ર સંયોગ:સિદ્ધનાથ મહાદેવ સાથે નાગદેવતાના દર્શન-પૂજન
શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને નાગપાંચમનો પવિત્ર સંયોગ એક જ દિવસે થતાં જામનગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. શહેરના સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર અને તેની નજીક આવેલા નાગદેવતા મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજન-અર્ચન માટે ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ નાગદેવતાને ધૂપ, દીપ, પુષ્પ સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું. હિન્દુ ધર્મમાં નાગપાંચમના પર્વનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી આવે તેવી માન્યતા છે. આ ઉપરાંત, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી ભગવાન શિવ પ્રત્યે પણ ભક્તોમાં અપાર શ્રદ્ધા જોવા મળી હતી. અનેક ભક્તોએ નાગદેવતાના દર્શનની સાથે સિદ્ધનાથ મહાદેવના દર્શનનો પણ લાભ લીધો હતો. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શહેરમાં વિવિધ ધાર્મિક સ્થળોએ ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો છે.
Read full article on Divya Bhaskar