Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ફેસબુક પર મિત્રતા, હોટલમાં રોકાણ અને બ્રેકઅપ; લગ્નના ખોટા વચનના કેસમાં સુપ્રીમ કોર્ટે NRI ને આપી મોટી રાહત

📰 The Indian Express 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
ફેસબુક પર મિત્રતા, હોટલમાં રોકાણ અને બ્રેકઅપ; લગ્નના ખોટા વચનના કેસમાં સુપ્રીમ કોર્ટે NRI ને આપી મોટી રાહત
ફેસબુક પર મિત્રતા, હોટેલમાં વિતાવેલા બે દિવસ, લગ્નનું વચન, સંબંધનો અંત અને ત્યારબાદ કાનૂની લડાઈ. આ ઘટનાક્રમ પોલીસ અને અદાલત સુધી પહોંચ્યો અને હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં સંડોવાયેલા એક એનઆરઆઈ (NRI) પુરુષને મોટી રાહત આપી છે. આ કેસ ગુજરાતનો છે. ઝામ્બિયામાં રહેતા એક એનઆરઆઈ પુરુષ પર લગ્નના ખોટા બહાને એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેની સામે કેસ નોંધ્યો હતો. આરોપીએ એફઆઈઆર (FIR) રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે કેસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. તે પુરુષ સામે નોંધાયેલી એફઆઈઆરમાં 'ભારતીય ન્યાય સંહિતા'ની કલમ 69નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમ હેઠળ છેતરપિંડી અથવા લગ્નના ખોટા વચન દ્વારા શારીરિક સંબંધ બાંધવા બદલ દસ વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે તે નવેમ્બર 2022માં ફેસબુક દ્વારા તે પુરુષના સંપર્કમાં આવી હતી. ફેબ્રુઆરી 2024માં વડોદરા ખાતે બંને પહેલીવાર રૂબરૂ મળ્યા હતા. મહિલાએ આરોપ મૂક્યો હતો કે તે પુરુષ તેને એક હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેઓએ સાથે બે દિવસ વિતાવ્યા હતા. તેણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે તે પુરુષે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે આરોપીએ ડિસેમ્બર 2024 સુધીમાં તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ જાન્યુઆરી 2025માં તેને જાણ કરી હતી કે તેની માતા આ સંબંધથી સહમત નથી અને તે તેની સાથે લગ્ન કરશે નહીં. તે પુરુષે એ આરોપને નકારી કાઢ્યો હતો કે સંબંધ ખોટા વચન પર આધારિત હતો. તેના વકીલે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે સંબંધ પરસ્પર સંમતિથી બંધાયો હતો અને આ સંદર્ભમાં મહિલાની માતા તથા માસી સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયેલી માહિતી મુજબ તેણે મહિલાની માતાને ₹40,000 મોકલ્યા હતા અને મુંબઈથી આશરે ₹32,000ની કિંમતનો મોબાઈલ ફોન તથા કપડાં પણ મોકલ્યા હતા. મે મહિનામાં હાઈકોર્ટે આ બાબતમાં દખલ કરવાનો અથવા તે પુરુષ સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે લગ્નનું વચન પૂરું ન થવું અને શરૂઆતથી જ લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હોવા છતાં વચન આપવું. આ બંને વચ્ચે તફાવત કરવો જરૂરી છે. આ પણ વાંચો: મુસાફરો માટે ખુશખબર! મુંબઈ, ભાવનગર અને દિલ્હી રૂટ પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે, જુઓ ટાઈમટેબલ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સંબંધિત વ્યક્તિની માતા દ્વારા લગ્નનો વિરોધ કરવામાં આવે તેને વાજબી કારણ તરીકે સ્વીકારી શકાય નહીં. તેમાં વધુમાં જણાવાયું હતું કે સંબંધ શરૂ કરતા પહેલાં તે વ્યક્તિએ તેની માતાનો અભિપ્રાય લેવો જોઈતો હતો અને ત્યારબાદ તેણે કરેલો ઇનકાર તેની દૂષિત ભાવના સૂચવે છે. હાઈકોર્ટના નિર્ણય સામેની તે વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે અવલોકન કર્યું હતું કે ફરિયાદ પરથી પરસ્પર સંમતિથી બંધાયેલા સંબંધોની વિગત મળે છે અને તેમાં એવું ક્યાંય જણાવાયું નથી કે તે વ્યક્તિએ મહિલાને જાતીય સંબંધો બાંધવા માટે પ્રેરિત કરવા કોઈ કપટપૂર્ણ રીત અપનાવી હતી. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં શું કહ્યું? 7 સપ્ટેમ્બરના તેના આદેશમાં સર્વોચ્ચ અદાલતે IPCની સંબંધિત જોગવાઈઓની સરખામણી ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69 સાથે કરી હતી. કોર્ટે લગ્નના ખોટા વાયદા દ્વારા સ્થાપિત જાતીય સંબંધો અને એવા વાયદા કે જે શરૂઆતમાં સાચા હતા પરંતુ બાદમાં પૂરા થઈ શક્યા ન હતા, તે બંને વચ્ચે તફાવત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. BNSની કલમ 69 હેઠળ, "કપટ દ્વારા" અથવા "લગ્નના વાયદા" હેઠળ મહિલા સાથે જાતીય સંબંધ બાંધવાને ગુનો ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિનો શરૂઆતથી જ લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હોય અને માત્ર જાતીય સંબંધ બાંધવા માટે જ ખોટો વાયદો કર્યો હોય તો તે એક અલગ બાબત છે. જો વાયદો કરતી વખતે લગ્ન કરવાનો ઈરાદો હોય પરંતુ કોઈ કારણસર બાદમાં લગ્ન થઈ શક્યા ન હોય, તો તે પરિસ્થિતિને સમાન દ્રષ્ટિકોણથી જોઈ શકાય નહીં. આ પણ વાંચો: અમદાવાદમાં ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો લાગુ, બે ઈમરજન્સી એક્ઝિટ અને NOC ફરજિયાત સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે BNSની કલમ 69 હેઠળ ગુનાહિત ગણાતા કપટમાં એવા લગ્નના વાયદાનો સમાવેશ થાય છે જેને શરૂઆતથી જ પૂરા કરવાનો કોઈ ઈરાદો નહોતો. એટલે કે આરોપીએ લગ્ન ન કરવાનો નિર્ણય અગાઉથી જ કરી લીધો હોવા છતાં લગ્નનું વચન આપ્યું હતું અને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. FIR નો ઉલ્લેખ કરતા કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ તેમની પ્રથમ મુલાકાત દરમિયાન જ મહિલા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ મહિલા તેના કહેવાથી જાતીય સંબંધ બાંધવા સંમત થઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે FIRમાં એવું કોઈ સ્પષ્ટ નિવેદન નહોતું કે તેણે માત્ર લગ્નના વાયદાના આધારે જ તે કૃત્ય માટે સંમતિ આપી હતી. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે યુવકની માતાએ બાદમાં લગ્નનો વિરોધ કર્યો હોવા છતાં તે સાબિત કરતું નથી કે લગ્નનું વચન બેઈમાનીથી આપવામાં આવ્યું હતું. કોર્ટે ટિપ્પણી કરી હતી કે માતાની અનિચ્છાને કારણે તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો તે હકીકત વાસ્તવમાં એ સૂચવે છે કે તે વચન સારા ઈરાદાથી આપવામાં આવ્યું હતું. તદનુસાર સુપ્રીમ કોર્ટે વડોદરા શહેરમાં તે યુવાન સામે નોંધાયેલી FIR રદ કરી.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan