top
પાટણના કોટેશ્વર મહાદેવ મંદિરમાં ૧૦૮ કમળ પુજા:શ્રાવણના અંતિમ સોમવારે અન્નકૂટ ભરાયો; ભક્તોએ દર્શનનો લાભ લીધો
પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે વિશેષ પૂજા કરાઈ. શિવ ભક્તોએ ૧૦૮ કમળ પૂજા અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવ ભક્તોએ કોટેશ્વર મહાદેવ સામે ૧૦૮ કમળથી પૂજા કરી. આ સાથે જ ભગવાનને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. કોટેશ્વર મહાદેવની આ ૧૦૮ કમળ પૂજા અને અન્નકૂટના દર્શન-પ્રસાદ માટે મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહ્યા. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.
Read full article on Divya Bhaskar