Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જ્યારે ગાંધી અને આંબેડકર આવ્યા આમને સામને, ગાંધીજીએ કહ્યું 'પોતાના જીવનના ભોગે પણ' કરશે વિરોધ

📰 The Indian Express 🕐 1 min read 📅 September 7, 2026 👁 1 views
જ્યારે ગાંધી અને આંબેડકર આવ્યા આમને સામને, ગાંધીજીએ કહ્યું 'પોતાના જીવનના ભોગે પણ' કરશે વિરોધ
લગભગ એક સદી પહેલા લંડનના આલિશાન સેન્ટ જેમ્સ પેલેસમાં એક બેઠક યોજાવાની હતી જેમાં ભારતીય ઇતિહાસના બે મહાનુભાવો પહેલી વાર એક એવા મુદ્દા પર સામસામે આવ્યા હતા જે આજે પણ ભારતીય રાજકારણ અને સમાજમાં ચર્ચાનો કેન્દ્રબિંદુ છે. આ પ્રસંગ હતો બીજી ગોલમેજી પરિષદનો, જે 7 સપ્ટેમ્બર, 1931 ના રોજ શરૂ થઈ હતી અને 31 ડિસેમ્બર, 1931 સુધી ચાલુ રહી. બંધારણીય સુધારાઓની ચર્ચા કરવા માટે બોલાવવામાં આવેલી આ બેઠકમાં મહાત્મા ગાંધીએ કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે પ્રથમ વખત ભાગ લીધો હતો, જ્યારે ડૉ. ભીમરાવ આંબેડકર બીજી વખત હાજરી આપી રહ્યા હતા. આ પહેલી ઘટના હતી જ્યાં ભારતીય ઇતિહાસના આ બે દિગ્ગજો ચર્ચામાં એકબીજાનો સામનો કરી રહ્યા હતા. આખરે આ મુદ્દો શું હતો? પરંતુ તેમાં ઊંડા ઉતરતા પહેલા ચાલો સમજીએ કે આ બેઠક શા માટે બોલાવવામાં આવી હતી. ગોલમેજ પરિષદ શું હતી? બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવા માટે ભારતની મુલાકાતે આવેલા સાયમન કમિશને 1930માં બ્રિટિશ સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. બ્રિટિશ સરકારે આ અહેવાલ પર ચર્ચા કરવા માટે ભારતીયોને લંડનમાં આમંત્રણ આપ્યું હતું. ખાસ કરીને ભારતીયોને આપવામાં આવનારા રાજકીય અધિકારોની હદ પર ચર્ચા કરવા માટે. પ્રથમ ગોલમેજ પરિષદ 12 નવેમ્બર, 1930 થી 19 જાન્યુઆરી, 1931 દરમિયાન યોજાઈ હતી. જોકે દેશની મુખ્ય રાજકીય પાર્ટી કોંગ્રેસે ભાગ લીધો ન હતો. તે સમયે કોંગ્રેસ 'પૂર્ણ સ્વરાજ' (સંપૂર્ણ સ્વતંત્રતા) ની માંગણી સાથે સવિનય અવજ્ઞા ચળવળનું નેતૃત્વ કરી રહી હતી. આ પરિષદ નિષ્ફળ સાબિત થઈ. આખરે કોંગ્રેસ સાથેના મડાગાંઠને ઉકેલવાના હેતુથી તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિને ગાંધીજીને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું. 5 માર્ચે બંને વચ્ચે થયેલા કરાર હેઠળ કોંગ્રેસે સવિનય અવજ્ઞા ચળવળને સ્થગિત કરી અને બીજી ગોલમેજી પરિષદમાં ભાગ લેવા સંમતિ આપી. કોંગ્રેસે ગાંધીજીને તેમના એકમાત્ર પ્રતિનિધિ તરીકે લંડન મોકલ્યા. આ પરિષદ મુખ્યત્વે ભારત માટે બંધારણીય માળખું નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. ખાસ કરીને પ્રાંતીય અને કેન્દ્રીય સ્તરે શાસનની પ્રકૃતિ પરંતુ દલિત પ્રતિનિધિત્વના મુદ્દા પર ગાંધી અને આંબેડકર વચ્ચે સૌથી ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ. ગાંધી અને આંબેડકર વચ્ચે ચર્ચા બંને વચ્ચેનો વિવાદનો પહેલો મુદ્દો પ્રતિનિધિત્વના દાવાને લગતો હતો. ખાસ કરીને દલિતોનો સાચો પ્રતિનિધિ કોણ છે? કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ ભારતના શોષિત અને કચડાયેલા લોકોનો એકમાત્ર સાચો પ્રતિનિધિ છે. તેમનું માનવું હતું કે અસ્પૃશ્ય અથવા દલિતોનો મુદ્દો સામાજિક અને ધાર્મિક સુધારાનો મુદ્દો છે, જે ફક્ત હિન્દુ સમાજમાં સવર્ણો વચ્ચેના હૃદય પરિવર્તન દ્વારા જ ઉકેલી શકાય છે. બીજી બાજુ ડૉ. આંબેડકરે દલિતોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કર્યો હતો. તેમણે જાહેર કર્યું કે દલિતોને હિન્દુઓમાં ગણવામાં આવતા હોવા છતાં તેઓ કોઈ પણ વાસ્તવિક અર્થમાં હિન્દુ સમુદાયનો ભાગ નથી, કારણ કે તેમને મૂળભૂત માનવ અધિકારોનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો: એકલા હાથે સાફ કરી આખી નદી; 'બિટ્ટુ તબાહી' ઉર્ફે સુરેન્દ્ર સિંહને વિદેશથી મળી મોટી જોબ ઓફર બીજો મુખ્ય મુદ્દો દલિતો માટે અલગ મતદાર મંડળોનો હતો. ડૉ. આંબેડકરે માંગ કરી હતી કે દલિતોને મુસ્લિમો અને શીખોની જેમ સ્વતંત્ર રાજકીય અસ્તિત્વ તરીકે માન્યતા આપવામાં આવે અને દસ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે અલગ મતદાર મંડળો આપવામાં આવે, જેનાથી દલિત મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરી શકે. તેમણે દલીલ કરી હતી કે દલિત મુક્તિનો માર્ગ ફક્ત રાજકીય સત્તામાં તેમની સીધી અને સ્વતંત્ર ભાગીદારીમાં રહેલો છે. જોકે ગાંધીજીએ આનો ઉગ્ર વિરોધ કર્યો. તેમનું માનવું હતું કે દલિતોને અલગ રાજકીય દરજ્જો આપવો એ "સંપૂર્ણપણે આત્મઘાતી" હશે, કારણ કે તે તેમને સવર્ણ હિન્દુઓથી કાયમ માટે દૂર કરશે અને ગ્રામીણ ભારતમાં સામાજિક સંવાદિતાને સંપૂર્ણપણે તોડી નાખશે. તેમણે લઘુમતી સમિતિને ચેતવણી આપી હતી કે તેઓ "પોતાના જીવની બાજી લગાવીને" આ અલગતાનો વિરોધ કરશે. સાંપ્રદાયિક પંચાટ અને પૂના પૈક્ટ બંને પોતપોતાના મંતવ્યોમાં અડગ રહ્યા અને કોઈ સમાધાન થઈ શક્યું નહીં. પરસ્પર સંમતિના અભાવ છતાં બ્રિટિશ વડા પ્રધાન રામસે મેકડોનાલ્ડે 16 ઓગસ્ટ, 1932 ના રોજ 'સાંપ્રદાયિક પંચાટ' જારી કર્યો, જેમાં દલિતોને અલગ મતવિસ્તારનો અધિકાર આપવામાં આવ્યો. આ પણ વાંચો: UNEP રિપોર્ટ એક કડવું સત્ય: પૃથ્વીના વધતા તાપમાનને રોકવા વિશ્વ માટે કોઈ રસ્તો નથી બચ્યો તેના જવાબમાં ગાંધીજી જેઓ પુણેની યરવડા જેલમાં કેદ હતા. તેમણે 20 સપ્ટેમ્બર, 1932 ના રોજ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. દબાણ હેઠળ આંબેડકરે સમાધાન માટે સંમતિ આપી, અને 24 સપ્ટેમ્બર, 1932 ના રોજ ઐતિહાસિક 'પૂના પૈક્ટ' પર હસ્તાક્ષર થયા. આંબેડકરે અલગ મતદારમંડળોની માંગ પાછી ખેંચી લીધી. બદલામાં સંયુક્ત મતદારમંડળોની વ્યવસ્થામાં દલિતો માટે અનામત પ્રાંતીય બેઠકોની સંખ્યા 71 થી વધારીને 147 (અથવા 148) કરવામાં આવી અને કેન્દ્રીય સભામાં 18% અનામત સુરક્ષિત કરવામાં આવી. પાછળથી પૂના પૈક્ટમાંથી 'અનામત' ની આ ભાવનાને સ્વતંત્ર ભારતના બંધારણમાં કાયમી રૂપે સમાવિષ્ટ કરવામાં આવી. જોકે બંને નેતાઓ વચ્ચે શરૂ થયેલ વૈચારિક સંઘર્ષ આજે પણ ચાલુ છે. અનામત અંગેના પ્રશ્નો સમયાંતરે ઉભા થાય છે અને તેના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ચર્ચાઓ ચાલતી રહે છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan