top
લાલપુરમાં લાયબ્રેરીયન ડે નિમિત્તે પુસ્તક પ્રદર્શન:સરકારી ગ્રંથાલય દ્વારા 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત આયોજન
લાલપુર સરકારી તાલુકા ગ્રંથાલય દ્વારા 19 ઓગસ્ટ, 2026ના રોજ 'લાયબ્રેરીયન ડે' અને 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગ્રંથાલય નિયામકની પ્રેરણાથી તથા મદદનીશ ગ્રંથાલય નિયામક અનિશાબેન સુમરા અને ગ્રંથપાલ પૂજાબેન મદલાણીની આગેવાની હેઠળ યોજાયો હતો. પુસ્તક પ્રદર્શનમાં એલ.એલ. મહેતા સ્કૂલના આશરે 210 વિદ્યાર્થીઓ સહિત અન્ય વાચકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને વાચકોએ વિવિધ પુસ્તકોનું અવલોકન કરી વાંચન પ્રત્યે રસ દાખવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાચકોમાં વાંચનની ટેવ વિકસાવવા તેમજ પુસ્તક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.
Read full article on Divya Bhaskar