Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

નેપાળ પૂર: ઇન્ફોસિસ પબ્લિક સર્વિસિસના CEO ગોપીસેટ્ટી ગુમ:કંપનીએ કહ્યું- તેઓ ખાનગી પ્રવાસે ગયા હતા, તેમના પરિવારને શક્ય તમામ મદદ કરી રહ્યા છીએ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 29, 2026 👁 2 views
નેપાળ પૂર: ઇન્ફોસિસ પબ્લિક સર્વિસિસના CEO ગોપીસેટ્ટી ગુમ:કંપનીએ કહ્યું- તેઓ ખાનગી પ્રવાસે ગયા હતા, તેમના પરિવારને શક્ય તમામ મદદ કરી રહ્યા છીએ
નેપાળ-તિબેટ સરહદ પર આવેલા ભયાનક પૂર બાદ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. આ આફતમાં ઇન્ફોસિસ પબ્લિક સર્વિસિસના CEO લક્સ ગોપીસેટ્ટી પણ ગુમ છે અને તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ઇન્ફોસિસ દ્વારા જણાવાયું છે કે તેઓ સત્તાવાળાઓ સાથે મળીને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છે. લક્સ ગોપીસેટ્ટી ખાનગી પ્રવાસે નેપાળ ગયા હતા ઇન્ફોસિસના સત્તાવાર નિવેદન અનુસાર, લક્સ ગોપીસેટ્ટી ખાનગી પ્રવાસે નેપાળ ગયા હતા અને આ તેમની કોઈ ઓફિશિયલ વર્ક ટ્રિપ નહોતી. ઇન્ફોસિસ દ્વારા જણાવાયું છે કે અમારી પ્રથમ પ્રાથમિકતા તેમની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવાની છે. કંપની સંબંધિત એજન્સીઓ સાથે મળીને માહિતી એકત્રિત કરવા અને તેમનો સંપર્ક સ્થાપિત કરવામાં વ્યસ્ત છે. હાલમાં ગોપીસેટ્ટીનું સ્થાન અથવા તેમની સાથે શું થયું તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે સંપર્ક ન થઈ શકવાનો અર્થ એ નથી કે કોઈનો જીવ ગયો છે. નેપાળમાં 300 ભારતીયો ગુમ, 400 ચીન સરહદ પર ફસાયા વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, નેપાળ-તિબેટ સરહદ પર આવેલી આ આફતમાં લગભગ 300 ભારતીય નાગરિકો ગુમ છે અથવા સંપર્ક બહાર છે. જ્યારે લગભગ 400 અન્ય ભારતીયો ચીન સરહદ તરફ ફસાયેલા છે. નેપાળ અને તિબેટના સમગ્ર પ્રદેશમાં હજારો લોકો ગુમ છે. હિમાલયન ક્ષેત્રમાં બરફ અને ખડકોના સરકવાથી આવેલા અચાનક પૂર પછી પાણી, કાદવ અને કાટમાળ તેજ પ્રવાહથી નીચેની તરફ આવ્યા. આ કારણે રસ્તાઓ, પુલ અને વસાહતો ધોવાઈ ગયા, જેનાથી સંચાર અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. બચાવ કામગીરી: હેલિકોપ્ટર, ડ્રોન અને બોટની મદદ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી ટીમો હેલિકોપ્ટર, બોટ, ડ્રોન, હોસ્પિટલો, શેલ્ટર્સ અને સ્થાનિક ટીમોની મદદ લઈ રહી છે. તૂટેલા રસ્તાઓ અને ખરાબ માર્ગોને કારણે ઓપરેશનની ગતિ થોડી ધીમી પડી છે. જોકે, ઘણા દૂરના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે. એપી (AP)ના અહેવાલ મુજબ, શુક્રવાર સુધીમાં નેપાળમાં 3,700થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કાઠમંડુના રસ્તે 21 ભારતીયો દિલ્હી પહોંચ્યા લાપતા લોકોની શોધખોળ વચ્ચે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચીનની સરહદ પર ફસાયેલા 153 ભારતીયો સુરક્ષિત રીતે નેપાળની સરહદમાં દાખલ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવેલા 21 ભારતીય નાગરિકો કાઠમંડુના રસ્તે સુરક્ષિત નવી દિલ્હી પહોંચી ગયા છે. લક્સ ગોપીસેટી સહિત અન્ય લાપતા લોકોની શોધ માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan