top
હિંમતનગરમાં ગોકુલેશ્વર મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ:શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોએ ‘ઓમ નમઃ શિવાય’ના નાદ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો
પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે હિંમતનગરના ખેડતસિયા રોડ પર આવેલા ગોકુલેશ્વર મહાદેવ મંદિરેથી પરંપરાગત પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં વાજતે-ગાજતે મહાદેવની પાલખી યાત્રા નીકળી. સુંદર ફૂલોથી શણગારેલી પાલખી સાથે ભક્તોએ ‘ઓમ નમઃ શિવાય’ના નાદ સાથે આખા વિસ્તારમાં પરિક્રમા કરી હતી. આ યાત્રા બેરણા રોડ, વિરાટનગર, દેવભૂમિ પરિસર, નવા બળવંતપુરા, રઘુનંદન સોસાયટી, પાર્થ સોસાયટી અને ગોકુલનગર રેલવે ફાટક જેવા વિસ્તારોમાંથી પસાર થઈને ફરી ગોકુલેશ્વર મહાદેવ મંદિરે પાછી ફરી હતી. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને પાલખી યાત્રાને કારણે ગોકુલેશ્વર મહાદેવને ગલગોટાના ફૂલોનો સુંદર શણગાર કરાયો હતો. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ હતો અને ભક્તોએ મહાદેવના દર્શન અને પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.
Read full article on Divya Bhaskar