top
ચીનના પોર્ટ પર કાર્ગો જહાજમાં આગ લાગી, 20 લોકોના મોત, પાંચ ગુમ
ચીનના પોર્ટ પર ડોક કરાયેલા એક કાર્ગો જહાજમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને પાંચ લોકો ગુમ છે. આ અકસ્માતમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધાની હાલત સ્થિર છે. એપી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જે જહાજમાં આગ લાગી છે તે લાઇબેરિયાના ધ્વજ હેઠળ ચાલે છે અને તેનું નામ ઓશન મેલોડી છે. ઓશન મેલોડી જહાજ પર કુલ 42 લોકો સવાર હતા, જેમાંથી 12 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જહાજ રિપેરિંગ કામ માટે ઉભું હતું અકસ્માત પછી ચીનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે જહાજને રિપેરિંગ માટે ડોક કરવામાં આવ્યું હતું. તેનું રિપેરિંગ ચીનના ઉત્તરપૂર્વીય કિનારે સ્થિત કિંગદાઓ પોર્ટ પર બેહાઈ શિપ બિલ્ડિંગ કંપની કરવામાં આવી રહ્યું હતું. News Alert! At least 20 dead and five missing after cargo ship catches fire in Chinese port, reports AP quoting state media. pic.twitter.com/qYuXhopFS8 — Press Trust of India (@PTI_News) September 10, 2026 બ્રિક્સ સમિટ 2026 : 30,000 જવાનો સુરક્ષામાં , શી જિનપિંગ-પુતિન માટે અલગ હોટલ, આવી છે તૈયારી અહેવાલો અનુસાર સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે જહાજમાં આગ લાગી હતી અને બપોરે 2:30 વાગ્યા સુધીમાં તેને બુઝાવી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ઘટનાના એક વીડિયોમાં જહાજ પર હાજર સ્ટાફ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
Read full article on The Indian Express