politics
છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પમાં હોબાળો, સારવાર અધૂરી મૂકીને ડૉક્ટરો જતા રહેતા ભૂખ્યા-તરસ્યા બેઠેલાં દર્દીઓમાં રોષ
છોટા ઉદેપુરના નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગો માટેના પ્રમાણપત્ર કેમ્પમાં હોબાળો થયો હતો. વડોદરાની ગોત્રી હોસ્પિટલના 4 તબીબો દર્દીઓની તપાસ અધૂરી મૂકી જમવા જતા રહ્યા. ગામડાઓમાંથી આવેલા 200 જેટલા લાભાર્થીઓ લાંબો સમય રાહ જોતા રોષે ભરાયા. ભાજપના નેતા જશુભાઈ ભીલની રજૂઆત બાદ તબીબો પરત ફર્યા હતા.
Read full article on Gujaratsamachar