top
ચૈતર વસાવાને 7 દિવસના જામીન તો મળ્યા પણ શરતો બહુ અઘરી છે
ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી ( AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકે તે માટે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેમના જામીનનો સમયગાળો જેલમાંથી મુક્ત થયાની તારીખથી શરૂ થશે. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીઓ પર હુમલા કરવાના કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહ્યા છે. નર્મદા કોર્ટે ચૈતર વસાવા , તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય સાત આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. વચગાળાના જામીન મંજૂર કરતી વખતે હાઈકોર્ટે ચૈતર વસાવા પર અનેક શરતો અને નિયંત્રણો લાદ્યા છે. જામીનગાળા દરમિયાન તેઓ ગાંધીનગર છોડી શકશે નહીં , કોઈ રાજકીય ...
Read full article on Khabarchhe