top
BRICS દેશોએ પહલગામ હુમલાની કરી નિંદા, વિદેશ મંત્રી એસ. જયશંકરે શું કહ્યું?
નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) સમિટમાં ભારતે આતંકવાદના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટપણે રજૂ કર્યું. સોમવારે એક ટ્વિટમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે સમિટ દરમિયાન આતંકવાદ વિરુદ્ધ સ્પષ્ટ અને વ્યાપક સર્વસંમતિ સધાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરી હતી અને 22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકવાદી હુમલાને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે બ્રિક્સે આતંકવાદ પ્રત્યે 'ઝીરો ટોલરન્સ' (શૂન્ય સહનશીલતા)ની નીતિ પર ભાર મૂક્યો હતો. વધુમાં, આ જૂથે આતંકવાદનો સામનો કરવામાં કોઈપણ પ્રકારના બેવડા ધોરણોનો અસ્વીકાર કર્યો હતો. તેમણે ખાસ કરીને સરહદ પારના આતંકવાદના મુદ્દા પર ભાર મૂક્યો હતો. આતંકવાદ પર બ્રિક્સની સર્વસંમતિ વિદેશ મંત્રી એસ. જયશંકરના જણાવ્યા અનુસાર, આતંકવાદ અંગે બ્રિક્સનું વલણ સ્પષ્ટ હતું: કોઈપણ પ્રકારની આતંકવાદની ઘટનાને ગુનાહિત માનવામાં આવી હતી અને તેના તમામ સ્વરૂપો તથા અભિવ્યક્તિઓની નિંદા કરવામાં આવી હતી. જયશંકરે જણાવ્યું હતું કે જૂથે આતંકવાદ વિરુદ્ધ ઝીરો-ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો અને પુષ્ટિ કરી હતી કે આતંકવાદનો સામનો કરવામાં બેવડા ધોરણો સ્વીકારવામાં આવશે નહીં. પોતાના ટ્વિટમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે 22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. ભારત માટે આ બાબત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે પહલગામ હુમલા બાદથી જ મોદી સરકાર આતંકવાદ વિરુદ્ધ કડક આંતરરાષ્ટ્રીય વલણ અપનાવવાની માગ કરી રહ્યા છે. આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકામાં ભયંકર અકસ્માત, રોડ દુર્ઘટનામાં 21 લોકોના મોત
Read full article on Sandesh