top
અમિત ચાવડા અને અનંત પટેલના ભાજપ સરકાર પર આકરા પ્રહાર:પારડી ઘાસિયા ખેડ સત્યાગ્રહની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા
વલસાડના પારડી ખાતે 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ સમિતિ દ્વારા ઘાસિયા ખેડ સત્યાગ્રહની યાદમાં કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોંઘવારી તથા ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ સરકાર પર મોંઘવારી મુદ્દે પ્રહાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સભાને સંબોધતા ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે દેશમાં મોંઘવારીએ સીમા વટાવી દીધી છે, જેના કારણે સામાન્ય જનતાનું ભોજન અને ચા પણ કડવાં બની ગયાં છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ મોંઘવારી ઘટાડવાના વચન સાથે સરકાર બનાવી હતી. મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું આજે ત્રીજી વખત મોદી વડાપ્રધાન બન્યા હોવા છતાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાદ્ય તેલના ભાવ સતત વધી રહ્યા છે. ખાંડના ભાવ વધવાથી ચાની મીઠાસ ગાયબ થઈ ગઈ છે અને ગૃહિણીઓ માટે ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. મોટા ઉદ્યોગોને ઇથેનોલ ઉત્પાદનમાં લાભ કરાવવા માટે ખાંડના ભાવ વધારીને સામાન્ય જનતા પર બોજ નાખવામાં આવી રહ્યો છે. ખેડ સત્યાગ્રહનો ઐતિહાસિક સંદર્ભ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ખેડ સત્યાગ્રહના ઇતિહાસને યાદ કરતા ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે 14 વર્ષ ચાલેલા આંદોલન બાદ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 14,000 ખેત મજૂરોને 14,000 હેક્ટર જમીન મફત આપીને જમીન માલિક બનાવ્યા હતા. જમીનો બચાવવા લડત ચાલુ રહેશે અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે ગરીબોને જમીન આપી હતી, જ્યારે વર્તમાન ભાજપ સરકાર ખેડૂતોની જમીન આંચકી રહી છે. નવી પેઢીને આ સત્યાગ્રહના ઇતિહાસથી માહિતગાર કરવા અને જમીનોનું રક્ષણ કરવા માટે સતત લડત ચાલુ રાખવાની તેમણે હાકલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી નેતાઓનું હળ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar