Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

3 બળવાખોર TMC સાંસદોનો ભાજપમાં જવાનો ઇનકાર:યુસુફ-અબુ તાહિર સામેલ, કહ્યું- અમે NDAમાં નહીં જઈએ; 20 સાંસદોએ NCPIમાં વિલય કર્યો હતો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 7 views
3 બળવાખોર TMC સાંસદોનો ભાજપમાં જવાનો ઇનકાર:યુસુફ-અબુ તાહિર સામેલ, કહ્યું- અમે NDAમાં નહીં જઈએ; 20 સાંસદોએ NCPIમાં વિલય કર્યો હતો
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ત્રણ બળવાખોર મુસ્લિમ સાંસદો અબુ તાહિર ખાન, ખલીલુર રહેમાન અને યુસુફ પઠાણે કહ્યું છે કે તેઓ BJPમાં જોડાશે નહીં અને તેઓ NDAનો ભાગ પણ નથી. ત્રણેય સાંસદોનું કહેવું છે કે તેઓ BJPની રાજનીતિ સાથે સહમત નથી, પરંતુ તેમના વિસ્તારોના લોકોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે કામ કરશે. આ ત્રણેય તે 20 બળવાખોર TMC સાંસદોમાં સામેલ છે, જેમણે બંગાળ વિધાનસભા ચૂંટણીના કેટલાક અઠવાડિયા પછી મમતા બેનર્જીની પાર્ટીથી અલગ થઈને નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI) માં વિલય કર્યો હતો. જોકે, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ હજુ સુધી તેમને ઔપચારિક રીતે NCPI સાંસદ તરીકે માન્યતા આપી નથી. અબુ તાહિર અને ખલીલુર રહેમાન મુજબ, સ્પીકર હજુ પણ તેમને સંસદમાં TMC સાંસદ કહીને સંબોધિત કરે છે અને તેમના નામ સાથે TMC લખવામાં આવે છે. PMની બેઠક પછી BJP સાથે નિકટતાની અટકળો વધી હતી અબુ તાહિર, ખલીલુર રહેમાન અને યુસુફ પઠાણ 7 જુલાઈએ પીએમ મોદી દ્વારા NDAના સાંસદો માટે આયોજિત બ્રેકફાસ્ટ મીટિંગમાં સામેલ થયા હતા. આ પછી તેમના ભાજપ અને NDAની નજીક જવા અંગેની અટકળો તેજ બની હતી. ત્રણેય સાંસદોએ 6 જુલાઈએ ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. ત્રણેયે શાહને એક આવેદનપત્ર સોંપ્યું હતું. તેમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ પરના પ્રતિબંધો અને SIR દરમિયાન બંગાળના મતદારોના નામ હટાવવાની ફરિયાદો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. CM સાથે મુલાકાત બાદ અબુ તાહિર બોલ્યા- NCPI સાથે રહીશું બીજા દિવસે એટલે કે 8 જુલાઈએ અબુ તાહિર અને ખલીલુર રહેમાને બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે રાજ્ય સચિવાલયમાં મુલાકાત કરી. બેઠક બાદ ખલીલુર રહેમાનને ભાજપમાં સામેલ થવા અંગે સવાલ પૂછવામાં આવ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું- ના, અમે ભાજપમાં સામેલ નથી થઈ રહ્યા. અમે NCPI સાથે રહીશું. ભવિષ્યમાં પાર્ટી સાથે જોડાયેલા રહેવા કે કોઈ અન્ય રાજકીય માર્ગ પસંદ કરવાના સવાલ પર તેમણે કહ્યું- સમય જ કહેશે. અબુ તાહિરે પણ કહ્યું કે તેઓ BJP સાથે નહીં જાય અને NDA નો ભાગ નહીં બને. તેમણે મુસ્લિમ સમુદાય, ખાસ કરીને પછાત અને જરૂરિયાતમંદ લોકોના મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત જણાવી. NCPIની અંદર મતભેદ પર પાર્ટીએ કહ્યું- મોટી તિરાડ નથી બળવાખોર સાંસદોના જૂથમાં મતભેદની અટકળો વચ્ચે NCPIના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું કે પાર્ટીમાં કોઈ તિરાડ નથી. તેમણે કહ્યું કે NCPI સાંસદો સાથે પીએમ મોદીની બે કલાકથી વધુની બેઠક થઈ, જેમાં બંગાળના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ અને અબુ તાહિર પણ તેમાં હાજર હતા. જ્યારે, ગયા અઠવાડિયે 4 જુલાઈએ NDA સાંસદોની ‘મંગલ મિલન’ બેઠકમાં NCPI ના 17 સાંસદો સામેલ થયા હતા. અબુ તાહિર, ખલીલુર રહેમાન અને યુસુફ પઠાણ આ બેઠકમાં સામેલ થયા ન હતા. TMCએ ત્રણેય સાંસદોને BJP ની બી-ટીમ ગણાવ્યા બીજી તરફ, મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના TMC જૂથે આ સાંસદો પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે આ સાંસદોએ સ્પીકરને NCPI સાથે હોવાની જાણકારી આપી હતી અને NCPI ને NDA ના સહયોગી તરીકે ઓળખાવવામાં આવ્યું છે. TMC ધારાસભ્ય કુણાલ ઘોષે NCPI ને BJP ની ‘બી-ટીમ’ ગણાવી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan