crime
પંચમહાલમાં ચાંદીપુરા વાયરસને લઈ ICMRની 6 સભ્યોની ટીમ પહોંચી:અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્ટર કંટ્રોલ અને સર્વેલન્સની કામગીરી કરાશે
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની 6 સભ્યોની ટીમ પોંડીચેરીથી ગોધરા પહોંચી છે. આ ટીમ વેક્ટર કંટ્રોલની કામગીરીને વધુ મજબૂત બનાવશે. ICMRની આ ટીમ પોતાના નિયમિત પ્રોજેક્ટ હેઠળ પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવી છે. ટીમ ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. અહીં સઘન વેક્ટર કંટ્રોલ અને સર્વેલન્સની કામગીરી કરાશે. અત્યાર સુધીમાં પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ 31 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે કરેલા સેમ્પલ ટેસ્ટિંગમાં 28 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ 3 પોઝિટિવ કેસમાંથી 2 બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા. હવે ICMRની ટીમ સ્થાનિક આરોગ્ય તંત્ર સાથે મળીને કામ કરશે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સેન્ડફ્લાય (રેતીની માખી)ના નિયંત્રણ પર ધ્યાન આપશે. સાથે જ, ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવવા જરૂરી સાવચેતી અને અટકાયતી પગલાં લેશે.
Read full article on Divya Bhaskar