Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Naxal Attack Case: ઝીરમ ઘાટી હુમલા કેસમાં 10 દોષિતોને ફાંસી, જાણો કેવી રીતે થયો હતો હુમલો

📰 Sandesh 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
Naxal Attack Case: ઝીરમ ઘાટી હુમલા કેસમાં 10 દોષિતોને ફાંસી, જાણો કેવી રીતે થયો હતો હુમલો
Naxal Attack Case: છત્તીસગઢના બસ્તર જિલ્લામાં આવેલી વિશેષ NIA કોર્ટે 2013ના ઝીરમ ઘાટી નક્સલી હુમલા કેસમાં તમામ 10 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ હુમલામાં કુલ 29 લોકોનાં મોત થયા હતા. આ મહિનાની શરૂઆતમાં કોર્ટે તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને 16 સપ્ટેમ્બરે સજા સંભળાવવાની તારીખ નક્કી કરી હતી. ઝીરમ ઘાટી કેસમાં 10 દોષિતોને ફાંસીની સજા જગદલપુરની NIAની વિશેષ અદાલતમાં વિશેષ ન્યાયાધીશ અભય સિંહ રાજપૂતે આ કેસમાં આરોપીઓને દોષિત ઠેરવવાનો નિર્ણય આપ્યો હતો. બચાવ પક્ષના વકીલ અરવિંદ ચૌધરીએ જણાવ્યું હતું કે બે મહિલાઓ સહિત કુલ 10 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, કેસની સુનાવણી દરમિયાન 101 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. દોષિતોના નામ જાહેર કોર્ટે જે 10 દોષિતોને મોતની સજા સંભળાવી છે, તેમાં પ્રમિલા મોડિયમ, ચૈતૂ લેકામ ઉર્ફે મુન્ના, સુમિતા ઉર્ફે પુનેમ મોડિયમ, મુકકા માંડવી, કોસા કવાસી ઉર્ફે કોસારામ, આયતા મરકામ, મડકામી દેવા, જોગા મડકામી, બનજામી સન્ના ઉર્ફે ચમરુ અને મહાદેવ નાગનો સમાવેશ થાય છે. આ કેસના 11મા આરોપીનું સુનાવણી દરમિયાન જ મોત થયું હતું. 25 મે 2013ની ઘટના આ હુમલો 25 મે 2013ના રોજ થયો હતો. બસ્તર જિલ્લાના દરભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝીરમ ઘાટીમાં નેશનલ હાઈવે પર કોંગ્રેસની ‘પરિવર્તન રેલી’ના કાફલા પર નક્સલીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલાને ડાબેરી ઉગ્રવાદ સાથે જોડાયેલા સૌથી ઘાતક હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. હુમલામાં કોંગ્રેસના નેતાઓ, સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીઓ સહિત 29 લોકોનાં મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. કોંગ્રેસના નેતાઓનાં મોત થયા ઝીરમ ઘાટી હુમલામાં તે સમયના રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નંદકુમાર પટેલ અને તેમના પુત્ર દિનેશ, વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા મહેન્દ્ર કર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યા ચરણ શુક્લ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા તથા પૂર્વ ધારાસભ્ય ઉદય મુડલિયારનું પણ મોત થયું હતું. પહેલા બ્લાસ્ટ, પછી ગોળીબાર નક્સલીઓએ લાલ રંગની બોલેરો ગાડીની નીચે બિછાવેલી લેન્ડમાઇનમાં વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટથી રસ્તા પર લગભગ 5 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. ત્યારબાદ એક ખરાબ ટ્રકને કારણે રસ્તો પણ બંધ થઈ ગયો હતો. આ રીતે કાફલો ફસાઈ ગયા બાદ લગભગ બે કલાક સુધી નક્સલીઓએ 20 વાહનોના કાફલા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યા હતા. હુમલાના બે દિવસ બાદ NIAને તપાસ સોંપાઈ હુમલાના બે દિવસ બાદ NIAએ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. 25 સપ્ટેમ્બર 2014ના રોજ NIAએ જગદલપુર સ્થિત વિશેષ NIA કોર્ટમાં ધરપકડ કરાયેલા 9 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 28 સપ્ટેમ્બર 2015ના રોજ વધુ 30 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 11 આરોપીઓમાંથી 10ને સજા આ કેસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એક આરોપીનું કેસની સુનાવણી દરમિયાન જ મોત થયું હતું. ત્યારબાદ કોર્ટે બાકીના 10 આરોપીઓને ઝીરમ ઘાટી હુમલા માટે દોષિત ઠેરવ્યા અને હવે તમામ 10ને ફાંસીની સજા સંભળાવી છે. આ પણ વાંચો: બંદૂકવાળા નક્સલી કરતાં દિમાગી નક્સલી વધુ ખતરનાક?
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan