business
એસ.ટી. મુસાફરો માટે મોટી રાહતનો નિર્ણય:માસિક અને ત્રિમાસિક પાસમાં રાહત, અંદાજે 2.5 લાખથી વધુ મુસાફરોને સીધો લાભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દૈનિક અપડાઉન કરતા નોકરિયાતો, ધંધાર્થીઓ અને વિદ્યાર્થીઓ માટે મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમના સંચાલક મંડળની બેઠકમાં માસિક અને ત્રિમાસિક મુસાફર રાહત પાસ યોજનામાં ભાડાના દિવસોમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. હવે મુસાફરોએ 30 દિવસના માસિક પાસ માટે માત્ર 15 દિવસનું જ ભાડું ચૂકવવું પડશે. આ સુધારેલી યોજનાનો રાજ્યભરમાં તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે, જેનાથી અંદાજે 2.5 લાખથી વધુ મુસાફરોને સીધો આર્થિક ફાયદો થશે. માસિક અને ત્રિમાસિક પાસ યોજનામાં થયેલા મોટા સુધારા દૈનિક મુસાફરી કરતા નોકરિયાત અને વેપારી વર્ગની લાંબા સમયની રજૂઆતોને ધ્યાને રાખીને નિગમ દ્વારા પાસના દરોમાં નીચે મુજબ રાહત જાહેર કરવામાં આવી છે: દૈનિક 27 લાખ મુસાફરોને સુવિધા, 35 લાખના લક્ષ્યાંકને વેગ મળશે ગુજરાત એસટી નિગમ સમગ્ર રાજ્યમાં શહેરો, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોને સાંકળીને વિશાળ નેટવર્ક ચલાવી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટ કરી ડેપો પરથી પાસ મેળવી શકાશે મુસાફરોને આ સુધારેલી રાહત યોજનાનો લાભ સરળતાથી મળે તે માટે નિગમે ઓનલાઇન વ્યવસ્થા ગોઠવી છે. મુસાફરો OPRS અથવા e-Pass સોફ્ટવેર મારફતે ડિજિટલ પેમેન્ટ કરીને નજીકના કોઈપણ એસટી ડેપો પરથી પોતાનો પાસ કઢાવી શકશે.
Read full article on Divya Bhaskar